Posts

Showing posts from April, 2020

પોતાની પત્નીને કઈ રીતે ખુશ રાખશો...?

Image
   આમ તો કોરોના(Corona) વાયરસને કારણે થયેલા લોકડાઉન (lockdown) જેવો સમય સદીમાં ભાગ્યે જ એકાદ વખત આવે છે, કે જ્યારે પતિ (husband) પત્ની(wife) એ ૨૪ કલાક ચારદિવાલની વચ્ચે સાથે રહેવાની ફરજ પડી છે...         એક "મ્યાનમાં બે તલવાર " જાણે કોઈએ જબરદસ્તી થી પરોવી દીધી હોય..! એવામાં પતિ પત્ની વચ્ચે ચકમક થવાના, મગજમારી થવાના ઘણા પ્રસંગો ઊભા થતા હોય છે ... પણ પડ્યું પાનું નિભાવી લેવું એ ભારતીય સંસ્કૃતિ છે, અને પુરુષે (પોતાની) પત્નીને ખુશ રાખવા માટે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. તો અહી પત્નીને ખુશ રાખવાના થોડાક ઉપાય બતાવ્યા છે. એ તમારે જાણવા જોગ... (આ બ્લોગમાં કુલ કેટલા ઉપાય બતાવ્યા છે એ નીચે આપેલા કમેંટ બોક્સમાં જણાવશો) ૧. તમે તમારી પત્ની(wife) સાથે  વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો. ૨. એની કોઇ પણ સહેલીના રુપના વખાણ (ભલે એ સારી દેખાતી હોય તોયે) ક્યારેય ન કરો ૩. એની મમ્મીની રસોઇના વખાણ કરો. ૪. એ જે બનાવે તે ખાઈ લો,નકામી ટકટક ના કરો... ૫. રસોઈ સારી બનાવી હોય તો સામેથી જ વખાણ કરો... ("આજે કેવું શાક બન્યું છે " એવા પ્ર...

આજનું રાશિ ફળ

Image
8 એપ્રિલ, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ જાણો તમારી રાશિ મુજબ મેષઃ- પોઝિટિવઃ- તમે સંઘર્ષશીલ વ્યક્તિ છો. કોઇપણ કાર્યને ખૂબ જ ચતુરાઈથી કરવાનો પ્રયાસ કરો છો. બધા સાથે સારો તાલમેલ જાળવી રાખવાનો પ્રયાસ તમને લાભ આપશે. નેગેટિવઃ- કોઇના કોઇ કારણે તણાવ ઉત્પન્ન થવાની સંભાવના છે. મંગળ વૃષભ રાશિમાં સંચાર કરી રહ્યો છે જેથી ધન-ધાન્ય અચલ સંપત્તિ તથા સગા-સંબંધીઓ સાથે સંબંધ સામાન્ય થઇ શકે છે. લવઃ- મન પ્રમાણે વાત કરવાની કોશિશ કરો. વ્યવસાયઃ- નોકરી કરતાં લોકોને આ સમયે પ્રમોશન પ્રાપ્ત થઇ શકે છે. સ્વાસ્થ્યઃ- શારીરિક પરેશાનીઓ તથા ધન ખર્ચ થઇ શકે છે. -------------------------------- વૃષભઃ- પોઝિટિવઃ- જો તમે નોકરી કરો છો તો આ સમયે પ્રમોશન પ્રાપ્તિનો યોગ સારો બની રહ્યો છે. જો તમે નોકરીની શોધમાં છો તો તમને સારી નોકરી મળી શકે છે. સાહસ અને ઉત્સાહથી કરેલાં કાર્યોમાં સારી સફળતા પ્રાપ્ત થશે. નેગેટિવઃ- માતા-પિતા સાથે સંબંધ સારા થઇ શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઇને સ્થિતિ પ્રતિકૂળ રહેશે. પરિવારમાં કોઇ વિવાદ ચાલી રહ્યો હોય તો તેને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો. લવઃ- મતભેદ તમારા સંબંધોમાં ...

How to influence people to do at your favour

Image
*૧. લોકો ઈચ્છે છે – પોતાની મહત્તા* માણસ હંમેશાં ઇચ્છે છે કે પોતાનો પ્રભાવ અન્ય ઉપર પડવો જોઈએ. એ કોઈને કોઈ રીતે ગણનાપાત્ર બનવા ઝંખે છે. પોતાની મહત્તા સ્થપાય એ એની એક અતૃપ્ત અભિલાષા હોય છે. આથી જેને આવી ગણના કે પ્રભાવ ન મળે એ વ્યક્તિ નિષ્ફળ ગણાય. જો કોઈ શિક્ષક એના વિદ્યાર્થીઓ પર અસર ન પાડી શકતો હોય. કોઈ વેપારી ગ્રાહકોને આકર્ષવામાં ઊણો ઊતરતો હોય કે પછી ભલે તે ધનવાન માણસ હોય, પણ નિષ્ફળ કહેવાય. ધનવાન  પણ નિષ્ફળ? હા, જો તે પોતાની બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પર પ્રભાવ ન પાડી શકતો હોય તો તેને સફળ કેમ કહેવાય? આથી એ સ્પષ્ટ થાય છે કે માણસ પોતાની વિશિષ્ટ વ્યક્તિમત્તા, સત્તા કે મહત્તા ઉત્પન્ન કરી શકે એવી એની સદાય ઇચ્છા હોય. એ વિના એની તુચ્છતા સાબિત થાય. આ સંદર્ભમાં આપણે જોઈશું કે સામાન્ય પટાવાળો પણ પોતે મોટા સાહેબને ત્યાં કામ કરે છે એવી મોટાઈ-બડાઈ બતાવે છે. નાના માણસો પણ મહત્ત્વના બનવા ઝંખે છે. આથી રાજકારણમાં પણ અમુક જૂથના માણસો એકત્ર થઈને એમના સત્તાસ્થાને બેઠેલા મહાનુભાવની ભૂલો શોધે છે. પોતે સત્તા પર આવશે તો ...